મ ન ગમતાં સંવાદ-૧

મિત્રો,
નમસ્કાર !! કુશળ હશો.
ઘમ્મર વલોણુંના અદભુત પ્રતિસાદ બાદ એક નવી સીરીઝ ચાલુ કરવાનો વિચાર આવ્યો. ચાર પાંચ દિવસ તો એમજ નીકળી ગયા કે કયા ટોપિક પર લખું ? યા તો એવું શું લખું કે જે જુનું અને જાણીતું, પણ વાંચવાનું ગમે ? મનમાં વિચાર આવે એટલે એક વાર તો લખીશ જ, આપ લોકોનો આવકાર નહિ મળે તો બંધ કરી દઈશ.( ઘરની જ ખેતી છે ને ! ) અંતે એક નવું ટાઈટલ મળ્યું છે જેનું નામ છે  મ ન ગમતાં સંવાદ  તમને ગમે તો અને ને ભેગું વાંચજો બાકી તો જે છે તે બરાબર લાગશે. ઘમ્મર વલોણું સીરીઝ પણ ચાલુ રાખીશ. ફરી એકવાર આપ સૌનો દિલથી આભાર.

ગમતાં સંવાદો

“ બહુ ઉદાસ જણાય છે ? ”

“ હમમ… ”

“ તારા ચહેરા પર કોઈ ટેન્શન હોય એવું લાગે છે ! ”

“ હા યાર કંઈક એવું જ છે ”

“ મિત્ર પાસે દિલ ખોલવાથી ભાર હળવો કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ”

“ સાચી વાત છે પણ , મિત્રને બોજારૂપ બનવું નથી ગમતું ”

“ ઠીક છે, પણ કોઈને તો તારે કહેવું જ પડશે. એનાથી મને જ કહી દે. ”

“ વ્યવહારિક કામો, ઘરની જવાદારી અને માંદગીઓને લઇ થોડી આર્થિક સંકડામણ અનુભવુ છું.  ”

“ અરે યાર બહુ સેડ વાત છે. ”

“ એટેલે જ તો, પણ શું કરું ? મને કોઈ પાસે પૈસા લેવાની આદત નહિ ને ! ”

“ અરે ગાંડા, હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”

“ થેંક યુ દોસ્ત, તેં મારું અડધું ટેન્શન દુર કરી દીધું. ”

થોડા દિવસો પછી

“ આપણે થોડા દિવસ પહેલા વાત થયેલી..યાદ છે ? ”

“ અરે હા બિલકુ યાદ છે કહે, હું છું ને ! તને કોઈ પાસે પૈસા લેવાની આદત નથી; તો તારે કયા માંગવા છે, હું તારી જોડે આવીશ. હું માંગીશ; મિત્ર જો છું તારો ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

12 Responses to મ ન ગમતાં સંવાદ-૧

  1. Maulik Zaveri કહે છે:

    Har ek friend kamina hota he 😁😁😂 par jaruri hota he

  2. Vimala Gohil કહે છે:

    સંવાદ તો મનગમતો , અને રમુજી .
    “હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
    એટ્લું કહેનાર મિત્ર હોય પછી શું જોઇએ?

  3. aataawaani કહે છે:

    બે મિત્રો બેઠા હતા , અને વાતોએ વળગ્યા હતા એટલામાં એક મિત્રનો કોઈ દુશમન આવ્યો અને તેને મારવા માંડ્યો મારનારો માર ખાનારથી બળીયો હતો એટલે સામનો કર્યા વગર માર ખાધા કર્યો . એટલે એની સાથે બેઠોતો એ મિત્ર બોલ્યો એલા શા માટે માર ખાધા કર્યો એને તે કેમ ન માર્યો મિત્ર બોલ્યો હું એને પહોંચી શકું એમ ન હતો એટલે મેં તેનો સામનો ન કર્યો . એની વાત સાંભળી મિત્ર બોલ્યો જા જા માર માર હું બેઠો છુને ?
    એ મારવા ગયો એટલે ફરીથી પેલાનો માર ખાધો . માર કમીને આવ્યા પછી તે ણે એના મિત્રને કીધું તું કહેતો હતોને હું બેઠો છું . તે બોલ્યો હું હ્જોય બેથોજ છુને .

  4. aataawaani કહે છે:

    ઘમ્મર વલોણું બરાબર ગાજતું રહેશે .અને સમય આવ્યે માખણ નીકળી આવશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s